Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

સુશાંતસિંઘે સલમાન ગેંગથી ધમકી મળતા બદલ્યા હતા 50 જેટલા સિમકાર્ડ : લોકગાયકનો મોટો દાવો

મિત્ર સંદીપ સિંહ જ સુશાંતના નવા સિમકાર્ડની માહિતી સલમાન ખાનની ગેંગને આપી દેતો

 

પટણાઃ અભિનેતા સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા મામાલે રોજ બરોજ નવા-નવા દાવા થઇ રહ્યા છે. મામલે બોલીવૂડમાં નેપોટિઝ્મ જવાબદાર હોવાનો આરોપ થઇ રહ્યો છે. ત્યારે બિહારના લોકગાયક સુનીલ છૈલા બિહારીએ સુશાંત સિંહના મોત અંગે ગંભીર આરોપ મૂક્યો છે. તેણે દાવો કર્યો કે સુશાંતને એક મહિનાથી સલમાન ખાન ગેંગ તરફથી ધમકીઓ મળી રહી હતી. જેના કારણે સુશાંત પરેશાન રહેતો અને અને ચિંતામાં તેણે 50 સિમ કાર્ડ બદલી નાંખ્યા હતા.

છૈલા બિહારીએ યુટયુબ પર વીડિયો મેસેજ મુક્યો છે. જેમાં તે જણાવે છે કે સુશાંત સિંહ રાજપુત છેલ્લા કેટલાક મહિનાથી મળી રહેલી ધમકીઓને કારણે બહુ પરેશાન રહેતો હતો. આથી તે વારંવાર પોતાના મોબાઇલમાં સિમ કાર્ડ બદલી નાંખતો હતો. ધમકીઓ એટલી હતી કે સુશાંતે 50 સિમકાર્ડ બદલી નાંખ્યા હતા.”

 છૈલા બિહારી અહીં અટક્યો નથી તેણે સુશાંતના મિત્ર સંદીપ સિંહ પર પણ આરોપ મૂક્યો છે કેસંદીપ સિંહ સુશાંતના નવા સિમકાર્ડની માહિતી સલમાન ખાનની ગેંગને આપી દેતો હતો. ત્યાર બાદ સલમાન ખાન પોતાના ગુંડાઓથી સુશાંતને ધમકી અપાવતો હતો. કારણે સુશાંતે આત્મહત્યા કરી લીધી. હવે કેસની સીબીઆઇ તપાસ થવી જોઇએ.” સુનીલ છૈલાએ જણાવ્યું કે સંદીપ સિંહ જેવાને લાગે છે કે જ્યાં સુધી સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર વગેરેનો સાથ નહીં મળે તો કંઇ કરી શકીશું નહીં. તેથી તે સુશાંત સિંહની બધી માહિતી સલમાન ખાન ગેંગને પહોંચાડી દેતો હતો.

સુનીલ જણાવે છે કે તે એવું ઇચ્છે છે કે ઇન્ડસ્ટ્રીમાં બીજો કોઇ સુશાંત સિંહ બને. હવે બોલીવૂડમાં બહારથી આવનારાએ એકજૂટ થવાની જરૂર છે અને નેપોટિઝ્મને પ્રોત્સાહન આપનારા સામે અવાજ ઊઠાવવો પડશે. એક-બે લોકોના વિરોધથી વાત નહીં બને. સુનીલે વધુમાં જણાવ્યું કે ગોવિંદા, વિવેક ઓબેરોય જેવા સ્ટાર્સને પણ નેપોટિઝ્મનો શિકાર થવું પડ્યું છે. ઉપરાંત દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર પણ કહી ચૂક્યા છે કે બોલીવૂડમાં ચાપલુસી કરવી પડે છે.

(10:41 pm IST)