Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

દિલ્હીના નિજામુદ્દીનના કોરોના વાયરસના ર૦૦ સંદિગ્ધ પોલીસ એ પુરા વિસ્તારને ઘેરો ઘાલ્યો, ડ્રોનથી પહેરો

નવી દિલ્હી :   દિલ્હી  સરકારને પોલીસને માર્કજ નિજામુદ્દ્દીન મૌલાના વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરવા કહ્યુ માર્કજમાં એક ધાર્મિક સભામાં ૩૦૦ થી ૪૦ઢ લોકો સામેલ થયા હતા અને કોવિડ-૧૯ થી સંક્રમિત  હોવાની સંભાવનાવાળા નિજામુદ્દીનના ૧૬૩ લોકોને દિલ્લીની લોકનાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યુ જયારે અમને ખ્યાલ આવ્યો કે એટલે અમે લોકડાઉનનું ઉલ્લંધન કરવાની નોટીસ જારી કરી આમાં ઘણા લોકોને કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા પછી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. પીટીઆઇના મુતાબિક નિજામુદ્દીનમાં તબલીગ-એ જમાતના જમાવડામાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. આખા ભારતના બીજા ભાગમાંથી પણ લોકો આવ્યા હતા આખા ઇન્ડોનેશિયા અને મલેશિયાથી પણ લોકો સામેલ થયા હતા ૧ માર્ચથી ૧પ માર્ચ સુધી લોકો ભેગા થયા હતા.

(11:58 pm IST)