Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કર્ણાટકમં દારૂ ન મળતા ૪ લોકોએ આત્‍મહત્‍યા કરી લીધા બાદ રાજ્ય સરકાર નિયમમાં ફેરફાર કરે તેવી શક્યતા

નવી દિલ્હી: સમગ્ર દેશમાં લોકડાઉનના કારણે એક નવી સમસ્યા આવી ગઈ છે. કોરોના વાયરસના સંક્રમણનું જોખમ હજુ તો ટળ્યું નથી ત્યાં દારૂ ન મળવાના કારણે 9 લોકોના મોત થઈ ગયા છે. જેના કારણે સ્થાનિક સરકાર સામે નવી મુસિબત પેદા થઈ છે. હવે રાજ્ય સરકાર પોતાના હાલના નિયમમાં ફેરફાર કરવા જઈ રહી છે જેથી કરીને સરળતાથી દારૂ મળી શકે.

9 લોકોએ કરી છે આત્મહત્યા

સમાચાર એજન્સી PTIના જણાવ્યાં મુજબ લોકડાઉનના કારણે અનેક લોકોને દારૂ મળતો નથી. કેરળમાં અત્યાર સુધીમાં 5 અને કર્ણાટકમાં ચાર લોકોએ દારૂ ન મળતા આત્મહત્યા કરી લીધી. ડોક્ટરોનું કહેવું છે કે સમગ્ર રાજ્યમાં ફક્ત મહત્વની સેવાઓ સિવાયની તમામ દુકાનો બંધ હોવાની માઠી અસર દારૂડિયાઓ પર પડી છે.

કેરળ સરકારે નિયમોમાં કર્યાં ફેરફાર

લોકડાઉન દરમિયાન આત્મહત્યાની ઘટનાઓએ કેરળ સરકારને નિયમોમાં ફેરફાર કરવાની ફરજ પાડી છે. કેરળના મુખ્યમંત્રી પિનરઈ વિજયને જણાવ્યું કે કોરોના વાયરસથી રાજ્યમાં ફક્ત એક જ મોત થયું છે. જ્યારે તેના બચાવ દરમિયાન લોકડાઉનમાં 5 લોકોના મોત થયા છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે હવે દારૂના બંધાણીઓ માટે આબકારી વિભાગ દારૂ ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દારૂ ઉપલબ્ધ કરાવવા માટે ઓનલાઈન સેવા પણ શરૂ કરશે.

ઉલ્લેખનીય છેકે કોરોના વાયરસ મહામારીને રોકવા માટે જ કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં લોકડાઉનનો નિર્ણય લીધો છે. આ દરમિયાન ફક્ત જરૂરી સેવાઓ સિવાયની તમામ દુકાનો, મોલ અને અન્ય જાહેર સ્થળોને બંધ કરી દેવાયા છે.

(4:59 pm IST)