Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

યોગી સરકારે 27,5 લાખ મનરેગા મજૂરોના ખાતામાં બેંકખાતામાં 611 કરોડ ટ્રાન્સફર કર્યા

લખનઉ: કોરોના વાયરસના કહેર વચ્ચે આર્થિક રીતે નબળા વર્ગના લોકોની મદદ માટે  સરકાર મોટા રાહત પેકેજની જાહેરાત કરી ચૂકી છે ત્યાં પીએમ રાહત કોષની મુહિમ ચલાવીને પણ લોકો પાસે મદદ માંગી રહી છે. જ્યારે રાજ્ય સરકારો પણ લોકોને લઈને જાગૃત જોવા મળે છે. અનેક પગલાં લેવાયા છે. ભારત સરકારની સાથે સાથે અનેક રાજ્ય સરકારો પણ ગરીબ વર્ગના લોકો માટે કામ કરી રહી છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અગાઉ રાહત પેકેજની જાહેરાત કરી હતી. અને હવે આજે તેમણે મનરેગા હેઠળ આવતા મજૂરોને આર્થિક મદદ કરી છે. યોગીએ લગભગ 27.5 લાખ મનરેગા મજૂરોના બેંક ખાતામાં ડાઈરેક્ટ 611 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. યોગીએ આ રકમ એટલા માટે ટ્રાન્સફર કરી કારણ કે જેથી કરીને આવા કપરા સમયમાં તેમને જરૂરિયાતની વસ્તુઓ મળી શકે

(2:24 pm IST)