Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ટીવીમાં રામાયણ જોયા પછી પતિ - પત્ની વચ્ચે 'મહાભારત' : પત્નીએ ફાંસો ખાઇ આત્મહત્યા કરી

પટના તા. ૩૦ : કોરોના વાયરસના કારણે થયેલા રાષ્ટવ્યાપી લોકડાઉનમાં લોકોના મનોરંજન માટે કેન્દ્ર સરકાર દ્વારા ૯૦ના દાયકામાં લોકપ્રિય સિરિયલ રામાયણ અને માહાભારતનું પ્રસારણ ફરીથી શરૂ કરાવ્યું છે. જેને લોકો ખૂબ જ પસંદ કરે છે. જોકે, બિહારની રાજધાની પટનામાં એક જેના વિશે જાણીને તમે અવાક થઈ જશો.

પટનાના રાધોપુર સ્થિત સહજાનંદ સરસ્વતી કોલોની કુમાર કોપ્લેકસ લોજને પટના પોલીસે શનિવારે મોડી સાંજે પરિણીતાની લાશ મળી હતી. મૃતક મહિલાની ઓળખ આઈઆઈટી પટનાની જૂનિયર રિસર્ચ ફેલોના પદ ઉપર કાર્યરત ૨૬ વર્ષીય ખુશ્બૂ સિંહના રૂપમાં થઈ છે.

ઘટના અંગે જાણકારી આપતા મૃતકના પતિ શ્રીમન નારાયણે જણાવ્યું હતું કે, બંને એક સાથે શનિવારે રામાયણ સિરિયલ જોતા હતા. સિરિયલમાં શ્રીમન નારાયણનું નામ આવ્યું. જોકે એ મારૃં નામ પણ છે. આ વાત અંગે વિવાદ થયો અને વાત બાળકના પ્લાનિંગના મુદ્દાઓ ઉપર પહોંચી ગઈ અને ઝઘડો વધી ગયો.

માહોલ એટલો તણાવગ્રસ્ત હતો કે તે ઘરમાંથી બહાર નીકળી ગયો હતો. થોડા સમય પછી તે ઘરે આવ્યો તો ઘરમાં પત્નીની લાશ પંખા સાથે લટકતી મળી હતી. ત્યારબાદ તેણે પોલીસને જાણ કરી હતી.

ઉલ્લેખનીય છેકે, ખુશ્બૂ રેલવે કર્મચારીની પુત્ર હતી. તેના લગ્ન ૨૦૧૯માં થયા હતા. ખુશ્બૂ ભણવામાં હોંશિયાર હતી. પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.(૨૧.૮)

(12:53 pm IST)