Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કોરોના સામે લડાઈમાં BCCI એ ચેતેશ્વર પુજારા મારફત લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી

''પુજારા પરિવારની માફક તમે પણ પોતાના ઘરોમાં જ રહો.': બીસીસીઆઇએ કર્યું ટ્વીટ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ દેશમાં કોરોના વાયરસના ખતરાને ધ્યાને રાખીને લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે અને તેના માટે તેને ભારતીય  બેટ્સમેન ચેતેશ્વર પુજારાનું ઉદાહરણ આપ્યું છે. બીસીસીઆઇએ ટ્વિટર પર ચેતેસ્વ્હર પુજારાનો એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં ઉલ્લેખ કર્યો છે કે ''પુજારા પરિવારની માફક તમે પણ પોતાના ઘરોમાં જ રહો.''

ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ આ પહેલાં કહ્યું હતું કે લોકડાઉન દરમિયાન તેમનો અડધો સમય પુત્રીની દેખભાળમાં પસાર થઇ જાય છે. બીસીસીઆઇએ પુજારાના ઉદાહરણ એટલા માટે આપ્યું જેથી લોકો આ બેટ્સમેન પાસેથી પ્રેરણા લઇ શકે.

(12:00 am IST)