Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

આર્થિક સંકળામણને લીધે નાસિકમાં પરિવારના ત્રણે કરેલી આત્મહત્યા

મહારાષ્ટ્રના નાસિકમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી : દીપક શિરોડેના પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હતી તેમણે લોન લીધી હતી : પોલીસને સુસાઈડ નોટ મળી

નાસિક, તા.૩૦: મહારાષ્ટ્રના નાસિકમાંથ ી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ત્યાં એક જ પરિવારના ત્રણ લોકોએ આત્મહત્યા કરી લીધી છે. પિતા અને બે પુત્રોએ અલગ-અલગ રૃમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ઘટના રવિવારની જણાવવામાં આવી રહી છે. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આર્થિક સંકડામણના કારણે પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી લીધી છે. મૃતકોની ઓળખ દીપક શિરોડે, પ્રસાદ શિરોડે, રાકેશ શિરોડેતરીકે કરવામાં આવી છે. દીપક શિરોડેની અશોક નગર વિસ્તારમાં ફળોની દુકાન હતી. ઘટના સમયે પત્ની અને નાનો પુત્ર મંદિરે ગયા હતા. ઘરે પરત ફરતા તમણે જોયુ કે, ત્રણેયફાંસી પર લટકેલા હતા.

દીપક શિરોડેના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. તેમણે લોન પણ લીધી હતી. પોલીસને મૃતદેહ પાસે એક સુસાઈડ નોટ મળી આવી છે. આર્થિક તંગીના કારણે તેઓએ આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. સાતપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી સતીશ ખોટેકરે જણાવ્યું છે કે, પોલીસ આ મામલે કેસ નોંધવાની પ્રક્રિયામાં છે.

મૃતક દ્વારા છોડવામાં આવેલી સુસાઈડ નોટમાં જણાવવામાં આવ્યું છે કે, તે એક પૈસાદારના ત્રાસથી બચવા માટે આ પગલું ભરી રહ્યા છીએ. તેણે શાહુકાર પાસેથી પૈસા ઉછીના લીધા હતા. ૨૯ જાન્યુઆરીએ બપોરે ૧૨ વાગ્યે દીપક શિરોડેની પત્ની મંદિરેથી પરત આવી અને દરવાજો ખખડાવ્યો તો કોઈએ દરવાજો ખોલ્યો નહીં. આ પછી તેણે પાડોશની મદદ માંગી. દરવાજો તોડીને લોકો ઘરની અંદર ગયા તો ત્યાં ત્રણેય ફાંસી પર લટકેલા જોવા મળ્યા હતા.

 

(8:23 pm IST)