Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

આવાસ-કાફલાની સુરક્ષા માટે એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સુરક્ષા વધારાઈ : હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ઉપરાંત કારના કાફલાઓને પણ એન્ટી ડ્રોન સિસ્ટમથી સુસજ્જ કરાશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલા કડક અને મોટા નિર્ણયને લીધે કટ્ટરવાદીઓ, આતંકવાદી સંગઠનો અને દુશ્મનોના નિશાન પર રહે છે. આને કારણે તેમની સુરક્ષાને લગતી પડકારો સતત વધી રહી છે. તેનાથ નિપટવા માટે તેમની સુરક્ષા સતત સુવ્યવસ્થિત કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં હવે વડાપ્રધાનના નિવાસસ્થાન ઉપરાંત કારના કાફલાઓને પણ એન્ટી ડ્રોન સિસ્ટમથી સજ્જ કરવામાં આવનાર છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડ્ઢઇર્ડ્ઢં)એ સુરક્ષા દળો માટે રચાયેલ એન્ટી-ડ્રોન સિસ્ટમ્સના નિર્માણ માટે ભારત ઇલેક્ટ્રોનિક્સ સાથે ડીલ કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ વડાપ્રધાનની સુરક્ષા ટુકડીમાં ડ્રોનને મારવાની આવી સિસ્ટમ સામેલ કરવામાં આવશે જે યાત્રા દરમિયાન પણ પીએમની સલામતી સુનિશ્ચિત કરી શકે. રિપોર્ટ મુજબ વડાપ્રધાનની સુરક્ષામાં એન્ટી ડ્રોન સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે, કારણ કે આ વર્ષની શરૂઆતથી તેમના પર ડ્રોન હુમલાઓનું જોખમ વધ્યું છે. હકીકતમાં પાકિસ્તાની આતંકવાદી સંગઠનોએ હુમલાની સાથે સાથે ડ્રગ મોકલવા માટે ભારતની સીમામાં ચીન દ્વારા બનાવેલા કોમર્શિયલ ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે. આવી સ્થિતિમાં ડ્ઢઇર્ડ્ઢંએ બે પ્રકારના એન્ટી ડ્રોન બનાવવાનું શરૂ કર્યું છે. તેનો હેતુ ડ્રોનને નિષ્ક્રિય કરવા અથવા મારવાનો છે.

મીડિયા રિપોર્ટ મુજબ એવું માનવામાં આવી રહ્યું છે કે, ડ્ઢઇર્ડ્ઢં ચીફ સતિષ રેડ્ડી ટૂંક સમયમાં સશસ્ત્ર દળોને ઘરેલું એન્ટી-ડ્રોન સિસ્ટમ વિશે માહિતી આપશે. આ વર્ષે પ્રજાસત્તાક દિન અને સ્વતંત્રતા દિવસની ઉજવણીના સ્થળે એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવી હતી. આ એન્ટી ડ્રોન સિસ્ટમ્સ રડાર ક્ષમતાથી સજ્જ છે જે બેથી ત્રણ કિલોમીટર દૂરથી દુશ્મન ડ્રોનને નિષ્ક્રિય કરી શકે છે. બીજા પ્રકારના એન્ટી ડ્રોન સિસ્ટમની બેથી ત્રણ કિલોમીટરના અંતરથી લેસર બીમથી ડ્રોનને નષ્ટ કરવાની ક્ષમતા છે.

ગયા વર્ષ ૨૦૧૯થી જ પાકિસ્તાની આતંકવાદી સંગઠનોએ આંતરરાષ્ટ્રીય સરહદ પારથી સતત ભારતીય સરહદ પર ડ્રોન મોકલીને ડ્રગ્સ અને હથિયાર મોકલ્યા હતા જેથી વિદ્રોહને મજબુત બનાવી શકાય. જમ્મુ-કાશ્મીરમાં કંટ્રોલ લાઇન (ન્ર્ંઝ્ર) પર આવી જ મોડસ ઓપરેન્ડી જોવા મળી રહી છે.

સારી વાત એ છે કે, એક તરફ ડીઆરડીઓ એન્ટી-ડ્રોન સિસ્ટમ વિકસાવવામાં વ્યસ્ત છે અને બીજી તરફ દેશની ખાનગી કંપનીઓ પણ સુરક્ષા એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. દેશમાં ઉત્પાદિત એન્ટી ડ્રોન સિસ્ટમ્સ પણ એલઓસી પર ગોઠવી દેવામાં આવી છે અને આ સિસ્ટમો હવાઈ જોખમો સામે લડવામાં પણ સફળ રહી છે.

(7:34 pm IST)