Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

આદિત્ય નારાયણ ના વેડિંગ રિસેપ્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીઉપસ્થિત રહેશે

લગ્નમાં ૫૦ લોકોને આમંત્રણ અપાશે : ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણ પહેલી ડિસેમ્બરે ગર્લફ્રેન્ડ, ફિલ્મ શાપિતની કો-સ્ટારર શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરશે

મુંબઈ, તા. ૨૯ : આદિત્ય નારાયણ પહેલી ડિસેમ્બરના રોજ ગર્લફ્રેન્ડ અને ફિલ્મ 'શાપિત'ની કો-સ્ટાર શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. લગ્ન અને રિસેપ્શનને લઈને જોર શોરથી તૈયારી ચાલી રહી છે. તાજેતરમાં જ ઉદિત નારાયણે પુત્ર આદિત્ય નારાયણના લગ્નની તૈયારીઓ વિશે વાત કરી હતી અને એ પણ ખુલાસો કર્યો હતો કે, વડાપ્રધાન મોદીને પણ વેડિંગ રિસેપ્શન માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

'કોઈમોઇ' ના એક અહેવાલ મુજબ ઉદિત નારાયણે કહ્યું કે લગ્ન મંદિરમાં થશે અને ત્યારબાદ ૨ ડિસેમ્બરે રિસેપ્શન થશે. તેમણે કહ્યું કે, રિસેપ્શન મુંબઈની એક ફાઇવ સ્ટાર હોટલમાં યોજાશે, પરંતુ વેન્યુ અંગે હજી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. રિસેપ્શનમાં ઈન્ડસ્ટ્રીના લોકોને બોલાવવાની વાત કરતા ઉદિત નારાયણે કહ્યું, 'અમે આટલા વર્ષોથી આ ઈન્ડ્સ્ટ્રીનો ભાગ છીએ, તો અમે તેમને કેવી રીતે ન બોલાવીયે? હા, એ અલગ વાત છે કે કોરોના છે એટલે વૃદ્ધ લોકો ન આવે તો તેવું કહી શકતા નથી. પરંતુ અમે અમારી બાજુથી કોઈ કસર છોડી નથી. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચનને પણ આમંત્રણો મોકલ્યા છે. જણાવી દઈએ કે આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ છેલ્લા ૧૦ વર્ષથી રિલેશનશિપમાં છે અને થોડા સમય પહેલા જ આદિત્યએ જાહેરમાં આ સંબંધ વિશે જણાવ્યું હતું. ૧ ડિસેમ્બરે તેમના લગ્નમાં ફક્ત ૫૦ મહેમાનો સામેલ થશે.

(7:32 pm IST)