Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

અહેમદભાઇના નિધનથી કોંગ્રેસ પક્ષને ન પૂરી શકાય તેવી ખોટ પડી

કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદ તેમજ હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હૂડ્ડાએ અહેમદભાઈ પટેલના પરિવારને સાંત્વના પાઠવી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસ પક્ષમાં ઘેરા શોકની લાગણી છે ત્યારે અનેક દિગ્ગજ નેતાઓ પીરામણ સ્થિત તેમના નિવાસસ્થાનની મુલાકાત લઇ તેમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે. શનિવારે કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદ તેમજ હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હૂડ્ડાએ સુરત એરપોર્ટ પર ઉતરી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અહેમદભાઇના નિધનથી કોંગ્રેસ પક્ષને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.

(12:00 am IST)