Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

પ્રજ્ઞા ઠાકુર અને ઉદ્ધવ ઠાકરે બંને સરખા : રાહુલજી દંભ છોડો

ભાજપના સાંસદ જીવીએલ નરસિંહા રાવે આકરા શાબિક પ્રહાર કર્યા

નવી : ભાજપના સાંસદ જીવીએલ નરસિંહા રાવે રાહુલ ગાંધી પર શાબ્દિક હુમલો કરતાં કહ્યું કે રાહુલજી દંભ છોડો. તમે પ્રજ્ઞાની ટીકા કરો છો પરંતુ પ્રજ્ઞા જેવો જ અભિપ્રાય ધરાવતા ઉદ્ધવ ઠાકરેને તમે મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન બનાવ્યા છે.

'  આ એજ ઉદ્ધવ છે જેણે શિવસેનાના મુખપત્ર સામનામાં નથુરામ ગોડસેને દેશભક્ત ચીતર્યા હતા. તો પછી પ્રજ્ઞા નથુરામ ગોડસેને દેશભક્ત કહે એમાં તમને શો વાંધો પડ્યો ? પ્રજ્ઞા અને ઉદ્ધવ સમાન વિચારો ધરાવે છે. તમે પ્રજ્ઞાની ટીકા કરો છો અને ઉદ્ધવને દેશના સૌથી શ્રીમંત રાજ્ય મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનાવો છો. આ નર્યો દંભ છે.'

  નરસિંહા રાવે ટ્વીટર પર લખ્યું હતું, નથુરામ ગોડસેને દેશભક્ત કહેનારા ઉદ્ધવજી તમને મુખ્ય પ્રધાનપદ મુબારક હો... આપ અને આપના ધારાસભ્યોએ સલ્તનત સમક્ષ પોતાની વફાદારી સમર્પિત કરી દીધી...આ આત્મસમર્પણે સામના દૈનિકને સોનિયાનામા બનાવી દીધું.... સોનિયાજી તમારા થર્ડ ક્લાસ દૈનિકના વાહિયાત સંપાદકીય ચલાવી નહીં લે...

(12:05 pm IST)