Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને બે વર્ષમાં અનામત અપાઈ ગુજરાતમાં સાડા ત્રણ વર્ષ છતાં પાટીદારોને અપાતી નથી

રાજ્યની બહેરી મૂંગી સરકાર અનામત આપતી નથી એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલના પ્રહાર

અમદાવાદ :મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને અનામત મળતા પાટીદારોએ અનામતની માંગ બુલંદ કરી છે પાસ નેતા હાર્દિક પટેલે પાટણના સંખારી ગામે એક કાર્યક્રમમાં હાજરી આપી સરકાર પાસે પાટીદારોને અનામત આપવા માગ કરી હતી.

   આ મામલે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું હતું કે,મહારાષ્ટ્રમાં મરાઠાઓને બે વર્ષમાં અનામત આપવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં સાડા ત્રણ વર્ષથી આંદોલન કરવામાં આવી રહ્યું હોવા છતાં પાટીદારોને અનામત આપવામાં આવી નથી. રાજ્યની બહેરી મૂંગી સરકાર અનામત આપતી નથી.

(10:27 pm IST)