Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

J&K : સુરક્ષાબળીને મોટી સફળતા : પુલવામાં બે ત્રાસવાદી ઠાર

સર્ચ ઓપરેશન શરૂ : ભારે માત્રામાં શસ્ત્રો જપ્ત

શ્રીનગર તા. ૨૯ : જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાબળોએ બે ત્રાસવાદીઓને ઠાર કરાયા છે. હજુ પણ અથડામણ ચાલુ છે. પુલવામાંના અવંતિપુરા વિસ્તારમાં આ અથડામણ થઇ છે. સુરક્ષા એન્જસીઓને ત્યાં પર આતંકી છુપાયા હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ સુરક્ષાબળોએ બે ત્રાસવાદીઓને મારી નાખવામાં આવ્યા છે. આતંકીઓની પાસે ભારે માત્રામાં શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યા.

એ પહેલા બુધવારે ઓપરેશનમાં પત્રકાર સુજાત બુખારીની હત્યામાં વોન્ટેડ લશ્કર કમાન્ડર આતંકી નવિદ જટને સુરક્ષાબળોએ ઠાર કર્યા છે. બડગામ જિલ્લાના છત્રગામના ગામમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં જટની સાથે એક વધુ આતંકી મારવામાં આવ્યો.

સૂત્રોના જણાવ્યા મુજબ, સુરક્ષાબળોને પાકા ઇનપુટ મળ્યા કે નવિદ તેમના સાથીઓની સાથે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના કુઢપોરામાં હાજર છે. સેના, સીઆરપીએફ તેમજ એસઓજીને સંયુકત રૂપે આ વિસ્તારને ઘેરાવો કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યો છે.(૨૧.૮)

(11:35 am IST)