Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

કેશુભાઇનું જીવન ગુજરાત અને ગુજરાતીઓના વિકાસ તથા સશકિતકરણ માટે સમર્પીત હતુ

નરેન્દ્રભાઇએ ટ્વીટ કરી દુઃખ વ્યકત કર્યું

નવી દિલ્હી : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના પાયાના પથ્થર કેશુભાઇ પટેલનું ૯ર વર્ષની વયે દુઃખદ અવસાન થતા વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ટ્વીટ કરી દુઃખ વ્યકત કર્યું હતું. ટ્વીટમાં નરેન્દ્રભાઇએ જણાવેલ કે આપણા સૌના પ્રિય અને આદરણીય કેશુભાઇનું નિધન થયુંછે. ઉંડા દુઃખ અને આઘાતની લાગણી અનુભવું છે. તેઓ સમાજના  દરેક વર્ગની સંભાળ રાખનાર ઉત્તમ નેતા હતા. તેમનું  જીવન ગુજરાતની પ્રગતિ અને ગુજરાતીઓના સશકિતકરણ માટે સમર્પીત હતું.

(3:25 pm IST)