Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

લોન મોરેટોરિયમ : ચશ્મા વેચનાર એક વ્યકિતએ ૧૬ કરોડ લોકોને કરાવ્યો ૬૫૦૦ કરોડ રૂપિયાનો ફાયદો

ગજેન્દ્ર શર્માની અરજી પર સુપ્રીમ કોર્ટે લોન મોરિટોરિયમ ઉપર આદેશ આપ્યો છે

નવી દિલ્હી : લોન મોરેટોરિયમ, આ શબ્દ એ છે જેનાથી આજે લોન ચુકવનાર દરેક વ્યકિત પરિચિત છે. લોન મોરેટોરિયમ પર સુપ્રીમ કોર્ટના આદેશ પછી સરકાર તરફથી ઉઠાવેલા પગલાથી સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. જોકે એ વાત ઘણા ઓછા લોકો જાણતા હશે કે દેશના આ મોટા મામલા પાછળ ચશ્મા વેચનાર એક વ્યકિત છે. યૂપીના આગ્રામાં ચશ્માંની દુકાન ચલાવનાર  ગજેન્દ્ર શર્માની અરજી ઉપર જ સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ પર આ આદેશ આપ્યો છે. ખાસ વાત એ છે કે દેશમાં લગભગ ૧૬ કરોડ લોકો છે જેમણે ૨ કરોડથી ઓછી લોન લીધી છે. કેન્દ્ર સરકારે આવા લોકોને રાહત આપવા માટે ૬૫૦૦ કરોડ રૂપિયાનું ફંડ નિર્ધારિત કર્યું છે.

ગજેન્દ્ર શર્મા આગ્રાની સંજય પ્લેસ માર્કેટમાં ચશ્માની દુકાન ચલાવે છે. આ સાથે તેમની ઓળખ સમાજસેવી તરીકેની પણ છે. ગજેન્દ્ર શર્માએ કહ્યું કે મને ખબર વાંચવાની અને સાંભળવાની આદત છે.  આ કારણે લોકડાઉન દરમિયાન ખબર પડી કે જે લોનની ઇએમઆઈ નહીં ચૂકવે તેણે પછી વ્યાજ સાથે રકમ જમા કરાવવી પડશે. તેમાં પણ લેટ થાય તો વ્યાજ ઉપર પણ વ્યાજ લાગશે. બસ અહીંથી વિચાર કર્યો કે આ મામલે હું પણ રાહત લઈશ અને બીજાને પણ રાહત અપાવવાનો પ્રયત્ન કરીશ.

ગજેન્દ્ર શર્માએ કહ્યું કે લોકડાઉનમાં આપણે પોતાની લોનની ઇએમઆઈ આપી શકતા ન હતા તે આપણી નિષ્ફળતા ન હતી. લોકડાઉન દરમિયાન ધંધા-વેપાર બંધ હોવાના કારણે મજબૂરી હતી. જયારે ધંધો જ નથી તો ઇએમઆઈ માટે પૈસા કયાંથી લાવીએ. આપણી નિષ્ફળતા નથી તો આપણે નુકસાન કેમ ભોગવીએ. આ સવાલ માટે મેં મારા એડવોકેટ પુત્ર પાસે ચર્ચા કરી અને વકીલોને મળીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અસલમાં આ મામલો રાઇટ ટૂ લિવનો છે. તેનો આધાર બનાવીને અમે અરજી દાખલ કરી હતી. અમે સારૂ કામ કરવા જઈ રહ્યા હતા. કરોડો લોકોની દુઆ સાથે હતી.વિત્ત્। મામલાના જાણકાર બતાવે છે કે લોકડાઉન દરમિયાન ૬ મહિના દરમિયાન જે પણ આવા કેસ હશે જયાં વ્યાજ પર વ્યાજ લાગશે તો આવા વ્યાજને કેન્દ્ર સરકાર ચુકવશે. આનાથી કેન્દ્ર સરકાર પર લગભગ ૬૫૦૦ કરોડ રૂપિયાનો બોઝ પડશે. ૨ કરોડથી નીચેની લોનવાળા લગભગ ૧૬ કરોડ લોનધારકોને તેનો ફાયદો મળશે.

(12:39 pm IST)