Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

દિલ્હીમાં પ્રદુષણની સ્તર ગંભીર : ભારત બાંગ્લાદેશ વચ્ચેના પ્રથમ ટી-20 ઉપર અસર થવાની શકયતા

મેચ ઉપર પ્રદુષણની અસર નહીં થાય : વાયુ ગુણવતાના સુધાર માટે અમારી સરકારે પગલાં ભર્યા : કેજરીવાલ

નવી દિલ્હી :ભારત પ્રવાસે આવનારી બાંગ્લાદેશની ટીમ તા,3ના રોજ દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમમાં પ્રથમ ટી 20 રમાનાર છે આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે આશા દર્શાવેલ છે કે 3 નવેમ્બરે ભારત-બાંગ્લાદેશ વચ્ચેના ટી-20માં પ્રદુષણની કોઈ અસર નહીં થાય,અમારી સરકારે વાયુ ગુણવતા સુધાર માટે પગલાં લીધા છે. આ સત્રમાં દિલ્હીમાં મેચોનું આયોજન કરાયું હતું અને 3 તારીખના રોજનો ટી 20 મેચ પણ રમાશે

જોકે આજે સોમવારે દિલ્હીમાં વાયુ ગુણવતા ગંભીર સ્તર પર હતી

(12:00 am IST)