Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

૧લી ઓકટોબર ૨૦૨૩થી કારમાં ૬ ઍરબેગ જરૂરીઃ કેન્દ્રિય મંત્રી ગડકરીઍ કરી જાહેરાત

નવી દિલ્હી તા. ૨૯: કેન્દ્ર સરકારે કારમાં ૬ ઍરબેગ રાખવાના નિયમ માટેની મુદ્દત લંબાવી છે. હવે ૧લી અોક્ટોબર ૨૦૨૩થી અમલી બનશે તેવુ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીઍ જણાવ્યું છે.

કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ-હાઇવે મંત્રીઍ આજે ઍક પછી ઍક કરેલા ટ્વિટમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્નાં છે કે કારમાં અોછામાં અોછી ૬ ઍરબેગ ફરજીયાત બનાવવાનો નવો નિયમ ૧લી અોક્ટોબર ૨૦૨૩થી લાગુ થશે. તેમણે કહ્નાં હતું કે, મોટર વ્હીકલમાં મુસાફરી કરતા તમામ મુસાફરોની સલામતીને પ્રાધાન્ય આપવુ જરૂરી છે.

(3:36 pm IST)