Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

શિવપાલ યાદવે સમાજવાદી સેક્યુલર મોરચો સ્થાપ્યો :મુલાયમસિંહ પણ જોડાશે તેવો દાવો

સપામાં સતત ઉપેક્ષાથી નારાજ શિવપાલે કહ્યું નાના પક્ષોને જોડાશે

લખનૌ :સમાજવાદી પાર્ટીમાં અવગણનાનો સામનો કરી રહેલા પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ શિવપાલ યાદવે સમાજવાદી સેક્યુલર મોરચાની રચના કરી છે. શિવપાલ યાદવે કહ્યું છે કે તેઓ સમાજવાદી પાર્ટીના ઉપેક્ષિત લોકોને સમાજવાદી સેક્યુલર મોરચા સાથે જોડવાનું કામ કરશે. તેમણે દાવો કર્યો છે કે સમાજવાદી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ મુલાયમસિંહ યાદવ પણ સમાજવાદી સેક્યુલર મોરચા સાથે જોડાશે.

  શિવપાલસિંહ યાદવે કહ્યું છે કે મુલાયમસિંહ યાદવને આદર નહીં મળવાના મામલે તેઓ આહત છે અને તેઓ હવે સેક્યુલર મોરચાના સહારે નાના પક્ષોને જોડશે.અત્રે ઉલ્લેખનીય છે કે રક્ષાબંધન પર્વ પર બહેન પાસે ખડી બંધાવતી વખતે શિવપાલસિંહ યાદવે કહ્યુ હતુ કે રાહ જોતા દોઢ વર્ષનો સમયગાળો વિતી ચુક્યો છે. આખરે કેટલી ઉપેક્ષા બરદાશ્ત કરવામાં આવે. સહન કરવાની પણ કોઈ સીમા હોય છે.

(7:46 pm IST)