Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

31મીએ રાહુલ ગાંધી કૈલાશ માનસરોવરમાં ભોલેનાથના ધામમાં દર્શને જશે

નેપાળ નહીં પણ ચીનના માર્ગે કૈલાસ માનસરોવર જશે

નવી દિલ્હી :પૂરપીડિત કેરળની મુલાકાત બાદ રાહુલ ગાંધી કૈલાસ માનસરોવર ખાતે ભોલેનાથના ધામના દર્શન કરવા માટે જશે. પરમ દિવસે એટલે કે 31 ઓગસ્ટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કૈલાસ માનસરોવરની તીર્થયાત્રાએ જશે

  . તેઓ નેપાળ નહીં પણ ચીનના માર્ગે કૈલાસ માનસરોવર જવાના છે. મહત્વપૂર્ણ છે કે કર્ણાટકની ચૂંટણીના પ્રચાર અભિયાનમાં રાહુલ ગાંધીનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા રહી ગયું હતું. ત્યારે કર્ણાટક ચૂંટણીના પરિણામ બાદ રાહુલ ગાંધીએ પોતાને શિવજીના પરમ ભક્ત ગણાવીને કૈલાસ માનસરોવર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

  આ પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે અને તેના પરિણામો બાદ પણ રાહુલ ગાંધી જ્યોતિર્લિંગના દર્શન માટે સોમનાથ ગયા હતા.

(1:48 pm IST)