Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

તેલુગુ અભિનેતા નંદમૂરી હરિકૃષ્ણાનું અકસ્માતમાં મોત

આંધ્રપ્રદેશના પૂર્વ CM એનટી રામારાવના હતા પુત્ર

નલગોંડા તા. ૨૯ : આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એનટી રામારાવના મોટા પુત્ર તથા તેલુગુ અભિનેતા અને પૂર્વ સાંસદ નંદમૂરી હરિકૃષ્ણાનું અકસ્માતમાં મોત થયું છે. હૈદરાબાદથી નેલ્લોર જઈ રહેલા હરિકૃષ્ણાની કાર આજે સવારે રસ્તામાં નલગોંડા જિલ્લાના અન્નેપર્તિ પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી.

દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા હરિકૃષ્ણાને નાર્કેટપલ્લી કામીનેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટનાની વિસ્તૃત જાણકારી મેળવવામાં આવી રહી છે. નંદમૂરીએ તેલુગુ સિનેમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. તેણે બે લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્નથી બે દીકરા (કલ્યાણ રામ, જાનકી રામ) અને એક દીકરી સુહાસિની છે. બીજા લગ્નથી પણ એક દીકરાનો જન્મ થયો હતો. જે સાઉથ સિનેમાનો પોપ્યુલર સ્ટાર જૂનિયર એનટીઆર છે.(૨૧.૧૫)

(11:34 am IST)