Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

કરૂણાનિધિના નિધન બાદ આઘાતથી ૨૪૮ લોકોના મોતઃ DMK

પક્ષની સામાન્ય પરિષદની બેઠકમાં પસાર કરેલા પ્રસ્તાવમાં કરાયો દાવો

ચેન્નાઇ, તા.૨૯ ડીએમકેએ કહ્યું કે પક્ષ પ્રમુખ એમ કરુણાનિધિના નિધન બાદ આદ્યાત લાગવાથી પક્ષના ૨૪૮ કાર્યકર્તાઓના મૃત્યુ થઇ ગયા.પક્ષે તેના પરિવારોને બે-બે લાખ રૂપિયાઙ્ગઅનુગ્રહ રકમ આપવાનું એલાન કર્યું છે.ડીએમકેના દિગ્ગજ નેતા એમ કરુણાનિધિએ લાંબી બીમારી બાદ સાત ઓગસ્ટે ત્યાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.

પક્ષની સામાન્ય પરિષદની બેઠકમાં પારીત એક પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે કરુણાનિધિના સ્વાસ્થ્ય ખરાબ થવા અને હોસ્પિટલમાં ભરતી થવા અને બાદમાં તેમના મોત અંગે જાણકારી મળ્યા બાદ ૨૪૮ પક્ષ કાર્યકર્તાઓની મોત થયા હતા.તેના મોત પર સંવેદના પ્રગટ કરીને સામાન્ય પરિષદે તેના પરિવારોને બે-બે લાખ રૂપિયા એટલે કે કુલ ૪.૯૬ કરોડ રૂપિયા આપવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.(૨૨.૭)

(11:32 am IST)