Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

સંઘના કાર્યક્રમમાં રાહુલ ગાંધીને આમંત્રણ મુદ્દે કોંગ્રેસે કહ્યું હજુ સુધી કોઈ નિમંત્રણ મળ્યું નથી

નવી દિલ્હી :કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને આરએસએસના કાર્યક્રમમાં નિમંત્રણ અપાયું હોવાના અહેવાલોને કોંગ્રેસ તરફથી રદિયો આપવામાં આવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તાને જ્યારે આના સંદર્ભે સવાલ કરવામાં આવ્યો ત્યારે કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું છે કે આરએસએસ તરફથી હજી સુધી આવું કોઈ નિમંત્રણ મળ્યું નથી. જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક દ્વારા કોંગ્રેસ અધ્યક્ષને આમંત્રિત કરવામાં આવશે. તો નિશંકપણે આવા સવાલોનો જવાબ આપવામાં આવશે. સિંઘવીએ કહ્યું હતું કે તેમની પાસે કાલ્પનિક સવાલો માટે કોઈ જવાબ નથી. હાલ આ સંપૂર્ણપણે કાલ્પનિક છે

(8:02 pm IST)