Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલનું ઉદારદિલ કાર્ય.. નાના બાળકોને હૃદયરોગના દર્દોમાંથી વિનામૂલ્યે સાજા કરવાનું ભગીરથ કાર્ય: બિહાર અને ઓડિશાના બાળકોને વિના મૂલ્યે સફળ હૃદયની સર્જરી બાદ જસ્ટિસ પારડીવાલાના હસ્તે વિદાય-આશીર્વાદ

આંધ્રના રાજ્ય સભાના સદસ્ય અને જામનગર જામ ખંભાળિયાના વતની તથા રિલાયન્સ પરિવારના ફરી સદસ્ય શ્રી પરિમલ નથવાણીએ તેમના ટ્વિટર ફોટા ફોટા સાથે લખ્યું છે કે અમદાવાદ ખાતે શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલનું ઉદારદિલ કાર્ય.. નાના બાળકોને હૃદયરોગના દર્દોમાંથી વિનામૂલ્યે સાજા કરવાનું ભગીરથ કાર્ય અવિરત ચાલુ જ છે. છે. તાજેતરમાં બિહાર અને ઓડિશાના ૧૦ બાળકોને વિના મૂલ્યે સફળ હૃદયની સર્જરી પ્રદાન કરવામાં આવી છે. માનનીય જસ્ટિસ શ્રી જમશેદ પારડીવાલા પરિવાર આ બાળકોને ડિસ્ચાર્જ સમયે વિદાય સાથે તેમના આશીર્વાદ આપવા ખાસ હાજર રહ્યા હતા.

(6:01 pm IST)