Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

વ્યવસાયવેરામાં પ૦% રાહતની કોંગ્રેસની દરખાસ્ત ભાજપે ફગાવી દીધી

રાજકોટ : આજના જનરલ બોર્ડમાં પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતિ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ શહેરમાં વેપારીઓને વ્યવસાય વેરામાં પ૦ ટકા રાહત આપવાની દરખાસ્ત ઉપનેતા મનસુખ કાલરીયાના ટેકાથી અરજન્ટ બિઝનેશમાં બોર્ડ સમક્ષ મૂકવા મેયર બિનાબેન આચાર્યને વિનંતી કરી હતી, પરંતુ મેયરશ્રીએ આ દરખાસ્તનો અસ્વીકાર કરીને કહ્યું હતું કે, બોર્ડની કાર્યવાહી ચાલુ થઇ ગઇ છે અને કોંગ્રેસના સભ્યોએ તેઓની દરખાસ્ત રજૂ કર્યા પહેલા જ બોર્ડમાં ધરણા-હોબાળો કરી સભા ત્યાગ કર્યો છે એટલે આ દરખાસ્ત સ્વીકારી શકાય નહીં. આમ કોરોના મહામારીમાં વેપારીઓનો વ્યવસાય વેરામાં પ૦% વેરા માફીથી દરખાસ્ત ફગાવીને ભાજપે અન્યાય કર્યાનો આક્ષેપ આ તકે ગાયત્રીબાએ કર્યો હતો. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:56 pm IST)