Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

હવે સિકન્દર બખ્તે કહ્યું પાકિસ્તાનને વર્લ્ડકપમાંથી બહાર ફેંકવા માટે ભારત કંઇક અટકચાળા કરી શકે

ભારત છેલ્લી મેચમાં હારીને પાકિસ્તાનને વર્લ્ડકપની બહાર ફેંકવાના પ્રયત્ન કરી શકે

પાકિસ્તાના પૂર્વ ક્રિકેટર સિકંદર બખ્તએ એક ટીવી ચેનલની ડિબેટમાં કહ્યું કે, ભારત હંમેશાથી પાકિસ્તાન સાથે દુશ્મની રાખતું આવ્યું છે. ભારત પાકિસ્તાનને વર્લ્ડકપમાંથી બહાર ફેંકવા માટે કંઇક અટકચાળા કરી શકે છે.

સિકંદરએ કહ્યું કે, ભારતીય ટીમ સેમીફાઈનલ પહોંચી જશે, પરંતુ એમને એવું લાગશે કે પાકિસ્તાન પણ સેમી ફાઇનલમાં પહોંચી શકે તેમ છે તો તેઓ છેલ્લી મેચમાં હારીને પાકિસ્તાનને વર્લ્ડકપની બહાર ફેંકવાના પ્રયત્ન કરી શકે છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને બુધવારે ન્યૂઝીલેન્ડ સામે શાનદાર પ્રદર્શન કરીને સેમીફાઈનલ સુધી પહોંચવાની આશા જીવંત રાખી છે, પરંતુ પોઈન્ટ ટેબલને જોતા હજૂ પણ તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી સ્થિતી છે.

સિકંદરની પહેલાં બાસિત અલીએ પણ કહ્યું હતું કે, ભારત પાકિસ્તાનને સેમીફાઈનલમાં જોવા નથી માગતું માટે વિરાટની ટીમ જાણી જોઈને બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે મેચ હારી શકે છે.

જોકે, 1947થી આજ દિવસ સુધીના ઇતિહાસમાં પ્રથમ ઘટના છે જ્યારે પાકિસ્તાન એવી પ્રાર્થના કરે છે કે ટીમ ઇન્ડિયા એક પણ મેચ હાર્યા વગર સેમી ફાઇનલમાં પહોંચે

(1:26 pm IST)