Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

સોમવારથી સમગ્ર દેશમાં જળશક્તિ અભિયાનનો આરંભ: ગુજરાતનાંપાંચ જિલ્લાને આવરી લેવાયા

કચ્છ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લા સહીત દેશના 257 જિલ્લાઓમાં અભિયાન

 

ભારત સરકાર 1 જુલાઇથી જળશક્તિ અભિયાનનો આરંભ કરશે.જેમાં ગુજારતાના  પાંચ જિલ્લાનો સમાવેશ કરાયો છે  દેશના કુલ 257 જિલ્લાઓમાં અભિયાન યોજાશે.જેમાં  23 જિલ્લાઓને અભિયાનની ખૂબ જરૂરિયાત છે.

 ભારત સરકાર 257 જિલ્લાઓને 1 હજાર 592 બ્લોકમાં વહેંચણી કરશે.ગુજરાત રાજયના કચ્છ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની પસંદગી કરાઇ છે. રાજયના પાંચ જિલ્લાને અભિયાન માટે 30 બ્લોકમાં વહેંચી કરાઇ છે. અભિયાન 30 સપ્ટેમ્બર સુઘી ચાલશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા પણ રાજ્ય સરકારે જળશક્તિ અભિયાન ચલાવ્યું હતું. તેમજ રાજ્યનાં જળાશયોને ઉંડા કરીને તેને વરસાદી પાણીનાં સંગ્રહ માટે મજબૂત બનાવાયા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે કેન્દ્ર સરકારે જળ સંસાધન મંત્રાલયનું નામ બદલીને જળ શક્તિ મંત્રાલય કર્યુ છે.

(12:00 am IST)