Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ત્રિપલ તલ્લાક બાદ નિકાહ હલાલા અને બહુવિવાહનો હવે અંત લાવવાની તૈયારી

નવી દિલ્હી :ત્રિપલ તલાક બાદ કેન્દ્રની મોદી સરકાર હવે વધુ એક મહત્વનો નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે. સરકાર ત્રિપલ તલાક બાદ નિકાહ હલાલા અને બહુ વિવાહનો અંત લાવવા માટે તૈયારી કરી રહ્યું છે. કાયદા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર નિકાહ હલાલા અને બહુપત્નીત્વના મામલે સુપ્રીમ કોર્ટમાં વિરોધી વલણ અખત્યાર કરશે. નિકાહ હલાલાને આઇપીસીની અંતર્ગત બળાત્કાર ગણાવવા માંગ થઈ છે.

(11:39 pm IST)