Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

સમાજવાદી પાર્ટી અને બસપા હજુ પણ ૮૦ લોકસભા સીટોવાળી યુપીમાં ૪૦-૪૦ સીટોની વહેંચણી કરવા વાત કરે છે, કોંગ્રેસ પાર્ટીઅે ક્ષેત્રિય દળોની અવગણના ન કરવી જોઇઅેઃ કર્ણાટકના જેડીઅેસના નેતા અેચ.ડી. દેવગૌડાની ચેતવણી

બેંગ્લુરૂઃ કર્ણાટકમાં ભાજપ પાસેથી સુકાન આંચકી લીધા બાદ જનતાદળ સેક્યુલર અને કોંગ્રેસના ગઠબંધનવાળી સરકારમાં ગરમાગરમી ચાલી રહી છે તેવા સમયે પૂર્વ વડાપ્રધાન અને જેડીએસ નેતા એચડી દેવગૌડાએ ચેતવણી આપી દીધી છે કે કૉંગ્રેસ પાર્ટી ક્ષેત્રીય દળોની અવગણના ના કરવી જોઈએ. તેમણે કહ્યું કે એ જરુરી નથી કે ક્ષેત્રીય દળ દરેક જગ્યાએ તેમની સાથે આગામી લોકસભા ચૂંટણી લડે. દેવગૌડા ગુરૂવારના રોજ નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરી રહ્યાં હતા.

તેમણે કહ્યું કે કર્ણાટકમાં મુખ્યમંત્રી પદના શપથ દરમ્યાન એનડીએ સીવાયના 6 અન્ય પક્ષો ઉપસ્થિત હતા જે એકજૂથ વિપક્ષને દર્શાવે છે પરંતુ એ જરૂરી નથી કે તેઓ 2019ની સાલમાં થનાર લોકસભા ચૂંટણીમાં દરેક રાજ્યમાં એકસાથે મળી ચૂંટણી લડે. આપને જણાવી દઇએ કે એકસાથે હોવાનું દર્શાવા માટે કૉંગ્રેસ, ટીએમસી, બસપા, આમ આદમી પાર્ટી, સીપીએમ, અને ટીડીપીના નેતા મે મહિનામાં થયેલ શપથ ગ્રહણ સમારંભ દરમ્યાન બેંગલુરૂમાં ઉપસ્થિત હતા.

ગૌડાએ કહ્યું કે સમાજવાદી પાર્ટી અને બસપા હજુ પણ 80 લોકસભા સીટો વાળી યુપીમાં 40-40 સીટોની વહેંચણી પર વાત કરી રહ્યાં છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને કૉંગ્રેસ એકસાથે ચૂંટણી લડવા માટે લગભગ સહમત થઇ ગયા છે. બીજા રાજ્યોમાં મહારાષ્ટ્રમાં એનસીપી, આંધ્રપ્રદેશમાં ટીડીપી અને તેલંગાણામાં ટીઆરએસને હજુ કૉંગ્રેસની સાથે ચૂંટણી લડવા પર નિર્ણય લેવાનો બાકી છે.

જેડીએ, નેતાએ કહ્યું કે માત્ર કર્ણાટકમાં અમે નિર્ણય લીધો છે કે કેટલાંક મતભેદો છતાંય કૉંગ્રેસની સાથે મળીને લોકસભા ચૂંટણી લડીશું. અત્યાર સુધી આ મુદ્દા પર કોઇ ચર્ચા થઇ નથી. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કુમારસ્વામીની વચ્ચે વાર્તા થવાની હતી જે ટળી ગઇ છે. દેવગૌડાએ પોતાના ગઠબંધન સહયોગી બસપા માટે પણ એક લોકસભા સીટ માંગી.

તેમણે કહ્યું કે અમે કર્ણાટકમાં એક લોકસભા સીટ અમારા ગઠબંધનના સહયોગી બસપાને પણ આપવાનો નિર્ણય લીધો છે. તેના બદલામાં અમે બસપાને કહીશું કે તેઓ યુપીમાં એક સીટ તેમના મહાસચિવ દાનિશ અલીને આપી દે. કેરલમાં એલડીએફ તેમને એક સીટ આપશે. જેડીએસ નેતા એ કહ્યું કે તેઓ નવી દિલ્હીમાં કૉંગ્રેસના નેતાઓને મળવા કે સિદ્ધારમૈયાની ફરિયાદ કરવા ગયા નહોતા.

દેવગૌડાએ કહ્યું કે ટૂંક સમયમાં જ ત્રીજા મોરચાની રચના થવી જોઇએ કારણ કે પીએમ મોદી અને અમિત શાહે એપ્રિલના જગ્યાએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીની સાથે ડિસેમ્બરમાં લોકસભા ચૂંટણી કરવાના સંકેત આપ્યા છે. આપને જણાવી દઇએ કે કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયા માત્ર કુમારસ્વામીના ગઠબંધનની સરકાર માટે સમસ્યા ઉભી નથી કરી રહ્યા પરંતુ કૉંગ્રેસ માટે પણ ચિંતાનું કારણ બની ગયા છે.

કુમારસ્વામી દ્વારા પૂર્ણ બજેટ રજૂ કરવા પર નાખુશી વ્યક્ત કરી રહેલા સિદ્ધારમૈયાની પાર્ટીના ધારાસભ્યો સાથે થઇ રહેલી મુલાકાતો હવે પાર્ટી હાઇકમાન માટે માથાનો દુખાવો છે. સરકારના વિરોધમાં બીજી વીડિયો ક્લિપ વાયરલ થયા બાદ સિદ્ધારમૈયાએ પાર્ટીના 8 ધારાસભ્યો સાથે અડધા કલાકની બેઠક કરી. ધર્મસ્થળમાં થયેલ આ બેઠકમાં કર્ણાટક સરકારના બે મંત્રી પણ હાજર હતા. સિદ્ધારમૈયાની આ બેઠક કૉંગ્રેસની ટોપ લીડરશીપ માટે શરમજનક વિષય બની ગયો છે. કર્ણાટકથી આવનાર કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે એ પણ સ્વીકાર કર્યો છે કે તેમણે વાયર થયેલો વીડિયો જોયો છે.

જો કે તેમણે તેનો ઇન્કાર કર્યો કે તેના પર પાર્ટીના કોઇ અનુશાસનાત્મક કાર્યવાહી કરી શકે છે. તેમણે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં સિદ્ધારમૈયાની મુલાકાત કરશે અને એ જાણવાની કોશિષ કરશે કે તેમણે કયા સંદર્ભમાં ટિપ્પણી કરી છે. સિદ્ધારમૈયાને મળનાર મોટાભાગના નેતા અહિંદાહતા. એવું અનુમાન થઈ રહ્યું છે કે સિદ્ધારમૈયા પોતાને આ સમુદાયના સૌથી મોટા નેતા દર્શાવી પોતાની સ્થિતિ મજબૂત કરવાના પ્રયાસોમાં લાગી ગયા છે.

(6:26 pm IST)