Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારી હત્યા: માનલા ગામમાં થયું ફાયરિંગ

પંજાબ પોલીસ દ્વારા મૂસેવાલા સહિત 24 લોકોની સુરક્ષા પરત લેવાના એક દિવસ બાદ ગોળીમારીને મુંસેવાલાની હત્યા

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાને કથિત રીતે માનલા ગામમાં ગોળી મારવામાં આવી છે. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેના મોતની પુષ્ટિ કરી છે. આ ઘટના પંજાબ પોલીસ દ્વારા મૂસેવાલા સહિત 24 લોકોની સુરક્ષા પરત લેવાના એક દિવસ બાદ થઈ છે. 

સિદ્ધુ મૂસેવાલાએ પંજાબ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર માનસાથી લડી હતી અને તેને આપ ઉમેદવાર વિજય સિંહલાએ 63 હજાર મતોથી હરાવ્યા હતા. વિજય સિંગલાને હાલમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભ્રષ્ટાચારના આરોપમાં સસ્પેન્ડ કરી દીધા હતા. 

પાછલા મહિને સિદ્ધૂ મૂસેવાલાએ પોતાના નવા ગીત બલિ કા બકરામાં આમ આદમી પાર્ટી અને તેના સમર્થકોને નિશાન બનાવ્યા બાદ એક વિવાદ ઉભો થઈ ગયો હતો. ગાયકે કથિત રીતે ગીતમાં આપ સમર્થકોને ગદ્દાર (દેશદ્રોહી) કહ્યા હતા. 

(7:00 pm IST)