Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

મોડીરાત્રે વડાપ્રધાન મોદી નાણમંત્રી અરુણ જેટલીના નિવાસસ્થાન પર મળવા પહોંચ્યા

મંત્રીમંડળમાં સામેલ નહીં થવાની ઈચ્છા પર પુનર્વિચાર કરવાથઇ શકે વાતચીત

 

નવી દિલ્હી :શપથ ગ્રહણ સમારોહ પહેલા એનડીએ નેતાઓ વચ્ચે કેબિનેટની રચનાને લઈ બેઠકોનો સિલસિલો ચાલુ છે. આજે પીએમ મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિતભાઈ  શાહ વચ્ચે 4 કલાકની મેરેથોન બેઠક થઈ. જ્યારે દરમિયાન પીએમ મોદી આજે નાણામંત્રી અરુણ જેટલી સાથે મુલાકાત કરવા તેમના આવાસે પહોંચ્યા છે

  . સતત કેબિનેટ બેઠકો અને નેતાઓની સાથે મુલાકાતને લઈ પીએમ મોદી અરુણ જેટલી સાથે પોતાના ફેસલા પર પુનર્વિચાર કરવા અને સરકારમાં બન્યા રહેવાની વાત કહી શકે છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે નાણામંત્રી અરુણ જેટલીએ પીએમ મોદીને ચિઠ્ઠી લખીને અપીલ કરી છે કે તેમને મંત્રી બનાવવાનો વિચાર કરવામાં આવે. અરુણ જેટલીએ સ્વાસ્થ્ય કારણોનો હવાલો આપતા કહ્યું કે પાછલા 18 મહિનાથી તેમની તબિયત ખરાબ છે એવામાં તેઓ જવાબદારી નહિ નિભાવી શકે. એવામાં તેમને મંત્રી બનાવવાનો વિચાર કરવામાં આવે.

પીએમ મોદી આજે નાણામંત્રી અરુણ જેટલી સાથે મુલાકાત કરવા તેમના આવાસે પહોંચ્યાછે 

(10:02 pm IST)