Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

મધ્યપ્રદેશના સફળ બિઝનેસમેન વલ્લભભાઈ પટેલની મુખ્યમંત્રી વિજયભાઈ સાથે મુલાકાત

સતત ચાર વર્ષ ભામાશા એવોર્ડ જીતનાર

રાજકોટ, તા. ૨૯ : ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની મધ્યપ્રદેશની મુલાકાત વખતે મધ્યપ્રદેશના મોટા ગજાના બિઝનેસમેન વલ્લભભાઈ પટેલ અને વિજયભાઈ રૂપાણી વચ્ચે શુભેચ્છા  મુલાકાત ઈંદોરમાં થઈ હતી.

વલ્લભભાઈ પટેલનું સુપ્રસિદ્ધ ખોડલધામ મંદિરના નિર્માણકાર્યમાં પણ અનેરૂ યોગદાન રહ્યું છે. વલ્લભભાઈ પટેલની સેવાકીય પ્રવૃતિઓની સુવાસ સમગ્ર મધ્યપ્રદેશમાં ફેલાયેલી છે. ચારણ જ્ઞાતિના બાળકો શિક્ષણ લઈ શકે તે માટે તેમણે ચારણ જ્ઞાતિનું એક મોટુ છાત્રાલયનંુ પણ નિર્માણ કરેલ છે. જેનું ગયા વર્ષે મધ્યપ્રદેશના ગર્વનર શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે લોકાર્પણ થયુ હતું. વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ ગોંડલ તાલુકાના મોટા દડવા ગામ છે. આપબળે પ્રચંડ પુરૂષાર્થથી આગળ વધ્યા છે. ગુજરાત ગૌરવયાત્રામાં મોટા દડવા મુકામે જંગી માનવમેદની થઈ હતી. તેમાં પણ છેક ઈન્દોરથી આ ગૌરવ યાત્રામાં જોડાયેલ હતા. નર્મદા સરદાર સરોવરના નિર્માણકાર્ય સમયે તેમણે ગુજરાત સરકારને યોગ્ય સમર્થન આપ્યુ હતું.

(3:37 pm IST)