Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

મોદીના શપથગ્રહણ સમારોહમાં મમતા બેનરજી ઉપસ્થિત રહેશે :મમતાએ કહ્યું કાર્યક્રમમાં સામેલ થવું સન્માંનની વાત

મમતા બેનર્જીને પણ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ મોકલાયું

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ વડાપ્રધાન મોદી 30 મેએ વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરશે, શપથગ્રહણ સમારોહમાં દેશ દુનિયાની અનેક હસ્તીઓ સામેલ થશે,જેમાં તૃણમૂલ  કોંગ્રેસ પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સામેલ છે. મમતા બેનર્જીને પણ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

  શપથ સમારોહના નિયંત્રણ પર મમતા બેનર્જીએ કહ્યું કે મંગળવારે જ તેઓને દિલ્હીથી આમંત્રણ મળ્યું છે અને તેઓ આ કાર્યક્રમમાં જરૂરથી સામેલ થશે. મમતાએ રાજ્ય સચિવાલયમાં કહ્યું કે આવા કાર્યક્રમમાં સામેલ થવું એ સમ્માનની વાત છે અને તેઓ 30એ વડાપ્રધાન શપથ સમારોહમાં હાજર રહેશે.

(8:56 am IST)