Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ચલણી નોટ પર ગાંધીની જગ્યાએ વીર સાવરકરની તસ્વીર હોવી જોઈએ :હિન્દૂ મહાસભા

નવી દિલ્હી :ભારતીય ચલણી નોટ પર  મહાત્મા ગાંધીની જગ્યાએ સમાજ સુધારક વીર સાવરકરની તસ્વીર હોવી જોઈએ તેવી માંગ અખિલ ભારતીય હિન્દુ મહા સભાએ કરી છે

  હિન્દુ મહાસભા અનુસાર વીર સાવરકરે દેશના સ્વતંત્રતા આંદોલનમાં મહત્વની ભુમિકા ભજવી છે. જેથી દેશના નાણાં પર તેની તસ્વીર છાપીને તેને સન્માન આપવું જોઈએ તેમજ વીર સાવરકરને ભારત રત્ન એનાયત કરવો જોઈએ

(10:05 pm IST)