Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

કોરોના પ્રકોપ વચ્ચે લશ્કરના વડા નરવણે વડાપ્રધાનને મળ્યા : સંખ્યાબંધ સ્થળોઍ અસ્થાઈ આર્મી હોસ્પિટલના નિર્માણ કરી સામાન્ય નાગરિકોને સારવાર અપાશે

કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરતા સેના પ્રમુખ ઍમ.ઍમ.નવરણે : આ કપરા કાળમાં દેશ ને બનતી તમામ મદદ કરવાનોનો ભરોસો આપતા સેના પ્રમુખ,  દેશમા ઘણી જગ્યાઍ રાજ્ય સરકારો સાથે સંકલન કરી અસ્થાયી આર્મી હોસ્પીટલનું નિર્માણ કરવામાં આવશે અને તે હોસ્પીટલોમાં સામાન્ય નાગરિકોને પણ સારવાર આપવામા આવશે. દર્દીઓની સેવા માટે સેનાના રિટાયર્ડ ડોક્ટરો, મેડીકલ સ્ટાફ અને હેલ્થ વર્કર્સને ફરજ પર પાછા બોલાવવામા આવશે.

(2:38 pm IST)