Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

કોરોના વાયરસને કારણ લોકડાઉનને લઇ દિલ્લીથી ઘર છોડી ચાલીને જતા લોકો માટે યુપી સરકારએ બોર્ડર પર બસો મોકલી

લખનૌ : ઉત્તરપ્રદેશ સરકાર તરફથી રાજધાની દિલ્હી છોડી મજબુરીને લઇ પગે ચાલી પોતાના ઘર જવા વાળા લોકો માટે બસોની વ્યવસ્થા કરી છે સરકારએ ઉત્તરપ્રદેશ દિલ્હી બોર્ડર પાસે ર૦૦ બસોની વ્યવસ્થા કરી છે. આ બસો ગાજિયાબાદ અને નોવેડા બોર્ડર પર લગાવી છે. જે દર બે કલાકે મળશે.

રોજમદારી કરવાવાળા અને અન્ય ગરીબ લોકોનું વતન ભણી જવાનું ચાલુ છે. સૌથી વધારે દિલ્લીથી જનાર છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો વાહનની તલાશમાં હોય છે.

(12:00 am IST)