Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

દિલ્હી મિની ઈન્ડિયા છે, અહીં હિન્દુ-મુસ્લિમની રાજનીતિ નહીં ચાલે: કેજરીવાલનો પલટવાર

ભાજપે પાંચ વર્ષમાં કોઈ જ કામ નથી કર્યું એટલા માટે હિન્દુ મુસ્લિમ નેરેટિવ બનાવે છે.

 

નવી દિલ્હી : દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી 8 ફેબ્રુઆરીએ યોજાવાની છે. ચૂંટણીને ધ્યાને રાખી દરેક પાર્ટીઓના નેતાઓ વચ્ચે તીખા પ્રહારો થઈ રહ્યા છે. એક બીજા ભાજપ આમ આદમી પાર્ટીને શાહીનબાગના મુદ્દા પર ઘેરાવ કરવા માગે છે, તો આપ પાર્ટી પોતાના કામના નામે ચૂંટણી લડવા મથે છે.

   સીએમ કેજરીવાલે એક ખાસ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, દિલ્હી મિની ઈન્ડિયા છે અને અહીં હિન્દુ મુસ્લિમ રાજનીતિ નહીં ચાલવા દઈએ. ભાજપે પાંચ વર્ષમાં કોઈ કામ નથી કર્યું એટલા માટે હિન્દુ મુસ્લિમ નેરેટિવ બનાવે છે. કેજરીવાલે જણાવ્યું હતું કે, અમે કામના નામે મત માગીએ છીએ અને દિલ્હીની જનતા પણ જાણે છે કે, તેમને પાયાની સુવિધાન કોણ આપી શકશે.

(10:43 pm IST)