Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

મહિલાઓ અને બાળકો સહિત પ્રદર્શનમાં સામેલ લોકો બીમાર કેમ નથી પડી મરી કેમ નથી રહ્યાં ?

પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષનું વધુ એક વિવાદિત નિવેદન

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષનું વધુ એક વિવાદિત નિવેદન સામે આવ્યંક છે. દિલીપ ઘોષે શાહીન બાગના પ્રદર્શનકારીઓ અંગે વિવાદિત નિવેદન આપતાં કહ્યું કે, આ દેખાવકારોને કેમ કંઈ થતું નથી, જ્યારે કે તેઓ દિલ્હીની કાતિલ ઠંડીમાં ખુલ્લાંમાં પ્રદર્શનો કરી રહ્યાં છે. જ્યારે કે બંગાળમાં સીએએ અને એનઆરસીથી ગભરાયેલાં લોકો આત્મહત્યા કરી રહ્યાં છે.

 દિલીપ ઘોષે તે વાતનું પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે મહિલાઓ અને બાળકો સહિત પ્રદર્શનમાં સામેલ લોકો બીમાર કેમ નથી પડી રહ્યાં કે મરી કેમ નથી રહ્યાં, જ્યારે કે તેઓ ઘણાં સપ્તાહથી ખુલ્લા આકાશ નીચે પ્રદર્શનો કરી રહ્યાં છે. ભાજપના સાંસદે સવાલ પણ કર્યા કે આ પ્રદર્શન માટે પૈસા ક્યાંથી આવી રહ્યાં છે. દક્ષિણ દિલ્હીના શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ હજારોની સંખ્યામાં મહિલાઓ 45 દિવસથી રસ્તાઓ પર પ્રદર્શન કરી રહી છે.

(11:55 am IST)