Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

નાસિક પાસે મુસાફરો ભરેલી બસ કુવામાં ખાબકી : 20 લોકોના કરૂણમોત : 30 લોકોને બચાવી લેવાયા

અચાનક સામે રીક્ષા આવતા બસ ચાલકનું સંતુલન ખોરવાતા બસ કુવામાં પડી

મહારાષ્ટ્રમાં નાસિક પાસે મુસાફરોની ખીચોખીચ ભરેલી એક બસ કુવામાં ખાબકી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 30 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નાસિક પોલીસે આ અંગે જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં 9 મૃતદેહ હાથ લાગ્યા છે. જ્યારે 11 ઘાયલ લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું છે.

   મળતી વિગત મુજબ  50 મુસાફરોથી ભરેલી બસ નાસિકથી ધુલે તરફ જઈ રહી હતી. અચાનક બસની સામે એક રિક્ષા આવી જતા ચાલકનું સંતુલન ખોરવાતા સડકની બાજુમાં આવેલા કુવામાં બસ ખાબકી હતી. લોકોનો અવાજ સાંભળી આજુબાજુના રહેવાસીઓ મદદે આવી પહોચ્યા હતા. લોકોએ દોરડા વડે અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું હતું

(12:00 am IST)