Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

પરીક્ષા જરૂરી પણ તેની બાહર પણ દુનિયાઃ બાળકના રીપોર્ટ કાર્ડને વીઝીટીંગ કાર્ડ ન બનાવોઃ નરેન્દ્રભાઇ

''પરીક્ષા પર ચર્ચા-૨'' માં વડાપ્રધાને વિદ્યાર્થીઓ, માતા-પિતાને આપી સલાહ : ગુજરાતમાંથી ૨૮ વિદ્યાર્થીઓ-૬ વાલી-૬ શિક્ષક ઘ્લ્હિી સ્થિત કાર્યક્રમમાં થયા સામેલ

 નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને તણાવ મુકત કરવા માટે આજે એક ખાસ મેસેજ આપ્યો. તાલકોટરા સ્ટેડિયમમાં થનારી 'પરીક્ષા પર ચર્ચા' કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સિવાય અમુક વડીલો અને શિક્ષકો પણ સામેલ થયા હતા. પીએમઓ પ્રમાણે આ 'પરીક્ષા પર ચર્ચા૨.૦' છે. ગયા વર્ષે પણ મોદીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ તેનો જ આગામી કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં દેશ-વિદેશના બે હજાર વિદ્યાર્થીઓ, વડીલો અને શિક્ષકોએ ભાગ લીધો છે. આ કાર્યક્રમમાં ૯ થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓ સામેલ થયા છે. જયારે અમુક વિદ્યાર્થીઓ કોલેજના છે.

દરેક સરકારી અને માધ્યમિક શિક્ષા બોર્ડની સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં કાર્યક્રમના સીધા પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમનો ઉદ્દેશ બોર્ડની પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને તણાવ મુકત કરવાનો અને તેમને યોગ્ય માર્ગદર્શન આપવાનો હતા.

 નરેન્દ્રભાઇએ પરીક્ષા પર ચર્ચામાં વિદ્યાર્થીઓના સંબોધન કરતા જણાવેલ કે જીવનમાં દરેક કસોટી જરૂરી છેઃ જીવનમાં પરીક્ષાનું મહત્વ છે એનાથી ઇન્કાર નથી પણઃ પરીક્ષાની બહાર પણ એક દુનિયા છે. પ્રેશરથી વધુ સ્થિત વણસી શકે છેઃ જીદગીમાં અપેક્ષા હોવી જોઇએ નિરાશા નહિ.

તેમણે માતા માતા-પિતાને શીખ આપતા જણાવેલ કે બાળકના રીપોર્ટ કાર્ડ વે વિઝીંટીગ કાર્ડ ન બનાવોઃ ટેકનીકલ પણ પ્રોત્સાહન આપવુ જોઇએઃ ઓનલાઇન ગેમ સમસ્યા છે સમાધાન પણ છેઃ બાળકોને ટેકનોલોજી દુનિયા તરફ વાળોઃ એક જ પરીક્ષા આખી જીદગી નથી. જીદગીનો મતલબ થાય છે ગતિ.  માતા-પિતાની સજા બાળકોને આપોઃ અપેક્ષાના બોજ હેઠળ દબાવવુ  ન જોઇએ. કેટલાક રમકડા તુટવાથી બાળપણ જતુ નથી. માતા પિતા હમેંશા બાળકોને પ્રોત્સાહીત કરેઃ પરીક્ષાથી જીવન ઘડતર થાય છે.  જે વ્યકિત સમયનું મહત્વ સમજે તે આગળ વધી શકે છે. આ કાર્યક્રમમાં શિક્ષકો માટે ' શિક્ષકો કી સોચ' અને વડીલો માટે '' મેરી પરીક્ષા નાયક સે સીખના' થીમ પણ રાખવામાં આવી છે. વિદેશી વિદ્યાર્થીઓમાં રશિયા, નાઈજીરિયા, ઈરાન, નેપાલ, દોહા, કુવૈત, સાઉદી અરબ અને સિંગાપોરના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ વર્ષે ૧૦ મિનિટનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવેલ .

અમદાવાદઃ પીએમ મોદી વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર દૂર થાય તે માટે દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમમાં વિદ્યાર્થી, વાલી અને શિક્ષકો સાથે પરીક્ષા પે ચર્ચા કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં ગુજરાતમાંથી ૨૮ વિદ્યાર્થી, ૬ શિક્ષક અને ૬ વાલી સામેલ થયાં છે. જેમાં દરેક રાજયના ૩૦ વિદ્યાર્થીઓ, ૬ શિક્ષકો અને ૬ વાલીઓને દિલ્હી MHRD(મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ)ના ખર્ચે લઈ જવાની સૂચના અપાઈ હતી.

 ૧.ગુજરાત સહિત દેશભરમાં બોર્ડની પરીક્ષા હોય કે, પછી સ્કૂલ લેવલની પરીક્ષા હોય વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં આવી જતા હોય છે જેને લઈ પીએમ મોદી દ્વારા ગત વર્ષથી 'પરીક્ષા પે ચર્ચા' નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કેન્દ્રના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા એક ગાઇડ લાઇન પણ બહાર પાડવામાં આવી હતી. જે ગાઇડ લાઇન પ્રમાણે, દરેક રાજયમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ વચ્ચે ઓનલાઇન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે. જોકે MHRD દ્વારા ગત ૧૦ જાન્યુઆરીના રોજ પરિપત્ર કરવામાં આવ્યો હતો.

(3:26 pm IST)