Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

૨૦૨૫ સુધીમાં ૨૫ શહેરમાં મેટ્રો ટ્રેનનું લક્ષ્ય

દેશની પ્રથમ સ્વચાલિત મેટ્રો સેવાનો પ્રારંભ : પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી  દેશની પહેલી ચાલકરહિત ટ્રેન સેવાની દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઇન પર ૨૮ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલી ઝંડી બતાવીને ઉદઘાટન કર્યું છે. તેની સાથોસાથ તેઓ એરપોર્ટ એકસપ્રેસ લાઇન અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC) સેવાની પણ શરૂઆત કરી છે. આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા.

ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનનું ઉધ્ઘાટન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહેલી ડ્રાઇવરલેસ મેટ્રોનું ઉદઘાટન દર્શાવે છે કે ભારત સ્માર્ટ સિસ્ટમ તરફ કેટલી ઝડપથી અગ્રેસર બની રહ્યું છે.PM મોદીએ કહ્યુ કે, ૨૦૨૫ સુધી ૨૫ શહેરમાં મેટ્રો દોડાવવાનું લક્ષ્ય છે. આ પહેલા, PMOના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચાલકરહિત ટ્રેન સંપૂર્ણપણે સ્વચાલિત હશે, જે કોઈ પણ માનવીય ભૂલની શકયતાઓ ખતમ કરી દેશે. દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઇન (જનકપુરી પશ્યિમ-બોટનિકલ ગાર્ડન) પર ચાલકરહિત ટ્રેન સેવા શરૂ થયા બાદ પિંક લાઇન પર ૨૦૨૧ના મધ્યમાં ચાલકરહિત ટ્રેન સેવા શરૂ થવાની અપેક્ષા છે. મજેન્ટા લાઇન તર જનકપુરી-બોટનિકલ ગાર્ડન કોરિડોર પર ૩૭ કિલોમીટરના દાયરામાં આ સેવાની શરૂઆતની સાથે દિલ્હી-એનસીઆરની યાત્રા અત્યાધુનિક સેવાઓની પોતાની સગવડ માટે ઉપયોગ કરી શકાશે.

NCMCને એરપોર્ટ એકસપ્રેસ લાઇન પર સંપૂર્ણપણે સંચાલિત કરવામાં આવશે. તેની સાથે જ દેશના કોઈ પણ હિસ્સાથી ઇસ્યૂ Rupay ડેબિટ કાર્ડ રાખનારા કોઈ પણ વ્યકિત તેનો ઉપયોગ કરી માર્ગ પર યાત્રા કરી શકશે. PMOએ કહ્યું કે આ સુવિધા ૨૦૨૨ સુધી દિલ્હી મેટ્રોના તમામ નેટવર્ક પર ઉપલબ્ધ થઈ જશે.ટેકનોલોજીની દિશામાં દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી)ના આ પગલાગથી ડીઆરસીનું નામ દુનિયામાં અગ્રણી મેટ્રો સેવામાં સામેલ થઈ જશે. જૂન ૨૦૨૨ સુધી પિન્ક લાઇન (મજલિસ પાર્ક-શિવ વિહાર) પર ૫૭ કિલોમીટરના દાયરામાં પણ ચાલકરહિત મેટ્રોની શરૂઆતની શકયતા છે. આવતા વર્ષ સુધીમાં મેટ્રોની યાત્રા કરનારા લોકોને ૯૪ કિ.મી.ના દાયરામાં ચાલકરહિત મેટ્રોમાં મુસાફરીની તક મળશે. આ સમગ્ર દુનિયામાં ડ્રાઇવરલેસ મેટ્રો નેટવર્કનું લગભગ ૯ ટકા હશે. આ સેવા પૂરી રીતે સ્વચાલિત હશે.મેટ્રોની તમામ લાઇનો પર ૨૦૨૨ સુધી મુસાફરોને કોમન મોબિલિટી કાર્ડથી મુસાફરી કરવાની તક મળશે. ડીએમઆર સી તરફથી હાલમાં ૩૯૦ કિલોમીટરના દાયરામાં ૧૧ કોરિડોરના ૨૮૫ સ્ટેશનોની વચ્ચે મુસાફરોને મેટ્રો સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

(2:58 pm IST)