Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

પાકિસ્તાનના બલોચિસ્તાનમાં આતંકી હુમલોઃ ૭ના મોત

હરનઇ વિસ્તારની ચોકી ઉપર અંધાધુધ ફાયરીંગઃ સમગ્ર વિસ્તારને ઘેરાબંધી

ઇસ્લામાબાદઃ તા.૨૮, પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં થયેલા આતંકવાદી હુમલામા ૭ પાકિસ્તાની નાગરિકોનાં મોત થયા છે, પાકિસ્તાની સેનાએ જણાવ્યું કે આતંકવાદીઓએ મોડી રાત્રે હરનઇ વિસ્તારમાં ફ્રન્ટિયર કોરની એક ચોકી પર ફાયરિંગ કર્યું.

બંને તરફથી થયેલા ફાયરિંગમાં ૭ જવાનો માર્યા ગયા છે , આ વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે અને હુમલાખોરોને પકડવા માટે બહાર જવાનાં તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે, વ્યાપક સ્તરે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે.

પાક સેનાએ કહ્યું કે દેશ વિરોધી શકિતઓનાં સમર્થનથી આવા કાયરતાપુર્વકનાં કૃત્યથી બલુચિસ્તાનમાં ખુબ જ જહેમતથી જાળવી રાખવમાં આવેલી શાંતિ અને સમૃધ્ધીને નષ્ટ નહીં કરવામાં દેવામાં આવે.

અત્રે ઉલ્લેખનિય છે કે ૫ દિવસ પહેલા જ સુરક્ષા દળોએ ૧૦ આતંકવાદીઓને ઠાર માર્યા હતાં, ત્યાંર બાદ હુમલાની આ ઘટના બની છે, બલોચ રાષ્ટ્રવાદી સંગઠન સાથે સંકળાયેલા આંતંકવાદીઓ રાજયમાં નિયમિત રૂપે હુમલા કરતા રહે છે. પીએમ ઇમરાન ખાને પણ સૈનિકોનાં મોત બદલ દુખ વ્યકત કર્યું છે.

(12:44 pm IST)