Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

પંજાબમાં ૧૩૩૮ મોબાઇલ ટાવરોને ભારે નુકશાન કરતા ખેડૂત દેખાવકારો

નવી દિલ્હી : કેન્દ્રના ત્રણ કૃષિ કાનુન વિરુદ્ધ દેખાવો કરી રહેલ ખેડૂતોએ પંજાબમાં કુલ ૧૩૩૮ મોબાઇલ ટાવરોનો ભુક્કો બોલાવ્યો છે અથવા નુકસાન કર્યું છે. આ પૈકીના મોટાભાગના રિલાયન્સ જિયોના ટાવર હોવાનું પ્રસિદ્ધ થયું છે, જેના લીધે કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે  ટાવરો ઉપર હુમલાઓ નહીં કરવા અપીલ કરી તે પછી એક જ રાતમાં ૧૫૧ મોબાઈલ ટાવરો ઉપર ખાના-ખરાબી સર્જાયેલ છે.

(12:00 am IST)