Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

નીતીશકુમારે મોટો ખળભળાટ સર્જ્યો: કહ્યું કે મારે મુખ્યમંત્રી પદ ઉપર રહેવું નથી: ભાજપને ઈચ્છા પડે તેને મુખ્ય મંત્રી બનાવી દે: મને પદની કોઈ લાલસા નથી

પટણા: જેડીયુની રાષ્ટ્રીય કારોબારીની બેઠક દરમિયાન બિહારના સીએમ નીતીશ કુમારે મોટું નિવેદન આપ્યું છે.  તેમણે નિખાલસતાથી કહ્યું કે હવે હું મુખ્યમંત્રી નહીં રહીશ.  ભાજપનું  એનડીએ ગઠબંધન જેને ઇચ્છે તેને મુખ્યમંત્રી બનાવી શકે છે.  માત્ર ભાજપના જ સી.એમ. બને તો પણ મને તેનો વાંધો નથી.  મને કોઈ પોસ્ટ માટેની ઇચ્છા નથી.  નીતીશ કુમારે કરેલા આ નિવેદનથી બિહારના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી બાદ મુખ્યમંત્રી નીતીશ કુમાર  સંબોધન કરી રહ્યા હતા.  તેમણે વધુમાં કહ્યું કે મને આ પદ માટે કોઈ ઇચ્છા નથી, આ પદ પર રહેવાની ઇચ્છા નથી કરતો.

(12:00 am IST)