Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

ક્ષેત્રફળની દ્રષ્ટીએ નોઈડાના જેવરનું એરપોર્ટ વિશ્વનું ચોથું સૌથી મોટું

એરપોર્ટના અંતિમ તબક્કાના નિર્માણ બાદ રેન્કીંગ લાગુ : એશિયાનું બીજું તેમજ દેશનું સૌથી મોટું એરપોર્ટ હશે, લગભગ ૧૩.૩૪ વર્ગ કિમી ક્ષેત્રમાં નિર્માણ થઈ રહ્યું છે

નવી દિલ્હી, તા.૨૭ : ગ્રેટર નોઈડાના જેવરમાં બનનાર નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનુ ચોથુ અને એશિયાનુ બીજુ તેમજ દેશનુ સૌથી મોટુ એરપોર્ટ હશે. એરપોર્ટના અંતિમ તબક્કાના નિર્માણ બાદ આ રેંકિંગ લાગુ થશે. હાલ લગભગ ૧૩.૩૪ વર્ગ કિમી ક્ષેત્રમાં જ આનુ નિર્માણ થઈ રહ્યુ છે. બાદમાં આનુ ક્ષેત્રફળ વધારવામાં આવશે.

આંકડા અનુસાર સાઉદી અરબનો કિંગ ફહદ ઈન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વમાં સૌથી મોટુ એરપોર્ટ છે. આ ૭૭૬ વર્ગ કિમી ક્ષેત્રફળમાં ફેલાયેલુ છે. જે બાદ અમેરિકાના બે એરપોર્ટનો નંબર આવે છે. જેનુ ક્ષેત્રફળ ૧૩૭ અને ૭૦ વર્ગ કિમી છે જ્યારે ચોથા સ્થાન પર જેવરનુ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ હશે. સમગ્ર રીતે વિકસિત થયા બાદ આનુ ક્ષેત્રફળ ૫૮ વર્ગ કિમી હશે.

મહત્વનુ છે કે પહેલા આનુ ક્ષેત્રફળ ૫૦ વર્ગ કિમી હતો પરંતુ બાદમાં ૮૦૦ હેક્ટર ક્ષેત્રફળ વધારવાની વાત કહેવામાં આવી હતી. જોકે સૂત્રોનુ એ પણ કહેવુ છે કે અંતિમ તબક્કે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનુ ક્ષેત્રફળ ૬૨ વર્ગ કિમીનો હોઈ શકે છે.

જેવરમાં બનનાર મેન્ટેન્સ, રિપેરિંગ અને ઓવરહૉલિંગ સેન્ટરનો લાભ દેશને થશે. અધિકારીઓ અનુસાર હાલ નાગપુરમાં એમઆરઓ સેન્ટર છે. જે ઘણા નાના છે. વિમાન કંપનીઓ પ્લેનના મેન્ટેનન્સ માટે કોલંબો અને સિંગાપુરના એમઆરઓ સેન્ટરની સેવાઓ લે છે. અધિકારીઓનુ કહેવુ છે કે બોઈંગ વિમાનનુ સિએટલ અને એરબેઝને પેરિસના એમઆરઓ સેન્ટરની સેવા લેવી પડે છે. જેવરમાં અત્યાધુનિક એમઆરઓ સેન્ટરની સુવિધા શરૂ થવાથી વિમાન કંપનીઓની સાથે જ દેશને ઘણા લાભ થશે. નજીક દેશના વિમાન પણ આનો લાભ ઉઠાવી શકશે. નોઈડા એરપોર્ટના બીજા તબક્કા માટે જમીન અધિગ્રહણથી પહેલા જેવરના ૬ ગામને પ્રભાવિત ખેડૂત પરિવારના સામાજિક સમાઘાત નિર્ધારણ પર જન સુનાવણીનુ કામ પૂરુ કરી લીધુ છે. જેમાં લાગેલી વહીવટીતંત્ર અને જીબીયૂની ટીમે ફાઈનલ રિપોર્ટ તૈયાર કરી ૧૬ નવેમ્બરે વહીવટીતંત્રને સોંપ્યો હતો. આના સાર્વજનિક પ્રકાશન બાદ ૨૦ નવેમ્બરે વિશેષજ્ઞ કમિટીએ રિપોર્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આગામી સપ્તાહ આને શાસનને મોકલવામાં આવશે.

રિપોર્ટના અધ્યયન બાદ સરકાર અધિગ્રહણ પર નિર્ણય લેશે. બીજા તબક્કામાં કરૌલી બાંગર, દયાનતપુર, કુરૈબ, રન્હેરા, મુઢરહ, બીરમપુર ગામની ૧૧૮૫ હેક્ટેર જમીનનુ અધિગ્રહણ કરવાનુ છે. કુલ ૧૩૬૫ હેક્ટર જમીનને સૂચિત કરવામાં આવ્યા છે. જેમાં ૧૨૪ હેક્ટર સરકારી જમીન છે. આને સીધા નાગરિક ઉડ્ડયન વિભાગના નામ કરાવી દેવામાં આવશે. ૫૭ હેક્ટર જમીનના યમુના સત્તા પહેલેથી અધિગ્રહણ કરી ચૂક્યુ છે. કરોલી બાંગરની ૧૫૯ હેક્ટર, દયાનતપુરની ૧૪૫, કુરૈબની ૩૨૬, રન્હેરાની ૪૫૮, મુંઢહરની ૪૬ અને બીરમપુરની ૪૯ હેક્ટર ખેતીની જમીન સહિત કુલ ૧૧૮૫ હેક્ટરનુ હસ્તગત કરવાનું છે.

(12:00 am IST)