Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

ચિદમ્બરમને હોસ્પિ.માં લઈ જવા પડ્યા

ઈડીના કબ્જા માં રહેલ ૭૪ વર્ષના પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની તબિયત બગડતાં આજે પહેલા રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઈ જવાયેલ, ત્યારબાદ સાંજે એમ્સમાં લઈ જવામાં આવેલ. પેટ સંબંધી કેટલીક ગરબડો સર્જાયેલ.સારવાર બાદ તબિયત સારી થતા ડીસ્ચાર્જ આપી ઇડીની કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે. 

આ પહેલા પણ ચિદમ્બરમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવેલ. ચિદમ્બરમને પેટની તકલીફો માટે બે દિવસ જામીન આપવા અને સારવાર માટે હૈદરાબાદ લઈ જવા માંગણી કરેલ પરંતુ ઇડીએ કહેલ કે સારવાર માટે એઇમ્સમાં પણ તેમને લઈ જઈ શકાય છે.

(11:31 pm IST)