Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

દેશના નવા એટર્ની જનરલ તરીકે આર વેંકટરામણી ત્રણ વર્ષ માટે નિયુક્ત થયા

વરિષ્ઠ ધારાશાસ્ત્રી આર વેંકટરામાણીને ત્રણ વર્ષના સમયગાળા માટે ભારતના નવા એટર્ની જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.  વર્તમાન એટર્ની જનરલ મુકુલ રોહતગીનો કાર્યકાળ ટૂંક સમયમાં સમાપ્ત થઈ રહ્યો છે.  મુકુલ રોહતગીએ પણ તાજેતરમાં આ પદ ફરી  સંભાળવાની સરકારની ઓફરને ઠુકરાવી દીધી હતી.  આ પછી હવે આર વેંકટરામાણીને આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે ૬૭ વર્ષીય મુકુલ રોહતગીને ફરીથી એટર્ની જનરલ બનવાની ઓફર કરી હતી પરંતુ તેમણે તેને ફગાવી દીધી હતી.

(10:04 pm IST)