Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

કોલ્હાપુરની સરકારી હોસ્પિટલના ICU માં આગ ભભુકતા 15 દર્દીઓને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા

છત્રપતિ પ્રમિલા રાજે જનરલ હોસ્પિટલના ' ICU વિભાગ' માં શોટ-સર્કિટના કારણે આગ લાગી

મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં એક સરકારી હોસ્પિટલના ICU માં સોમવારે સવારે આગ લાગી હતી. એક અધિકારીએ આ માહિતી આપી હતી, અધિકારીએ જણાવ્યું કે, ICU માં દાખલ તમામ 15 દર્દીઓને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.

હોસ્પિટલના ડીન ડો.ચંદ્રકાંત મહાસેએ જણાવ્યું હતું કે, કોલ્હાપુરની છત્રપતિ પ્રમિલા રાજે જનરલ હોસ્પિટલના ' ICU વિભાગ' માં સોમવારે સવારે શોટ-સર્કિટના કારણે આગ લાગી હતી.

તેમણે કહ્યું, "તમામ 15 દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી." તેમણે કહ્યું કે ફાયર વિભાગ અને હોસ્પિટલના સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક આગને કાબૂમાં લીધી હતી

(12:02 pm IST)