Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

વાહન અકસ્‍માતમાં સ્‍કૂલના બાળકોના મોત થયાની અફવાથી મઉ જિલ્લાના હલઘરપુર વિસ્‍તારમાં પોલીસના ૩ વાહનો ફૂંકી દીધાઃ શાળામાં તોડફોડ

વાહન અકસ્માતમાં સ્કૂલના બાળકના મૃત્યુની અફવાથી મઉ જિલ્લો સળગી ઊઠ્યો. આક્રોશિત જનતાએ પોલિસના ત્રણ વાહનો ફૂંકી દીધાશાળામાં તોડફોડ થઇ અને તે સ્થળે મોટી ફોર્સનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

મઉ જિલ્લાના હલધરપુર થાણાક્ષેત્રમાં પ્રાઈવેટ બસે સ્કૂલના બાળકોને લઈ જઈ રહેલ ઓટોને ટક્કર માર્યા બાદ ઘણાં બાળકોના મૃત્યુની અફવાને લઈને આક્રોશિત ગ્રામીણોએ પોલીસના વાહન ફૂંકી દીધા અને સ્કૂલમાં પણ તોડફોડ કરી હતી.

આક્રોશિત ગ્રામીણોને શાંત કરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો અને સાથે અશ્રૂગેસ પણ છોડ્યા હતા. સમાચાર મળતાની સાથે પોલીસ ઉચ્ચ અધિકારીઓ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

અકસ્માતમાં કેટલાક બાળકો ઘાયલ થયા હતા, તેઓને પ્રશાસન અને સ્થાનિક લોકોએ તાત્કાલિક પ્રાથિમક ઉપચારના હેતુથી હોસ્પિટલમાં ભર્તી કરાવ્યા હતા.

ઘટના બાદ સમગ્ર જિલ્લામાં અફવા ફેલાઈ ગઇ હતી. લોકોમાં એવી અફવા ફેલાઈ હતી કે આકસ્માતમાં ઘણા બાળકોના મૃત્યુ થયા છે.

બીજી બાજુ ઘટનાથી નારાજ લોકોએ ચક્કાજામ કરી દીધો અને હાઈવે જામ કર્યો હતો. દરમિયાન કેટલાક વાહનો ફૂંકી દેવામાં આવ્યા હતા. પોલીસે નિયંત્રણ કરવા માટે લાઠી ચાર્જ કર્યો અને અશ્રૂ ગેસ છોડ્યા હતા.

(5:30 pm IST)