Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મામલે સુપ્રીમકોર્ટના ચુકાદા સામે બોર્ડે ફેરવિચારણા અરજી કરશે

કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓનો પ્રવેશ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ત્રાવણકોર દેવાસ્વોમ સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરૂદ્ધ ફેર વિચાર કરવા અરજી કરશે. ત્રાવણકોર દેવાસ્વોમ બોર્ડના અધ્યક્ષ પી.પદ્માકુમારે જણાવ્યુ કે,સુપ્રીમ કોર્ટનાચુકાદાથી બોર્ડ અસહમત છે.

  આ મામલે ધાર્મિક નેતાઓનો સહયોગ લીધા બાદ સુપ્રીમ કોર્ટમાં ફેર વિચારણા માટે અરજી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં 10 વર્ષની કિશોરીથી લઈને 50 વર્ષની મહિલાઓનો પ્રવેશ પર રોક હટાવી છે. જે બાદ ત્રાવણકોર દેવાસ્વોમ બોર્ડે  કોર્ટના ચુકાદાથી અસહમત થયુ છે.

(5:09 pm IST)