Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજાનું નિધન:સવારે 8થી 10 રણજિત વિલાસ પેલેસમાં દર્શન બાદ અંતિમયાત્રા :રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં ઘેરો શોક

દાદાના હુલામણા નામથી જાણીતા મનોહરસિંહ જાડેજાનું 83 વર્ષની ઉંમરે થયું નિધન

 

રાજકોટ :રાજવી પરિવારના દાદાના હુલામણા નામથી જાણીતા અને ગુજરાત કોંગ્રેસમાં અનોખો દબદબો ધરાવતા મનોહરસિંહજી જાડેજાનું આજે સાંજે દુઃખદ નિધન થયું છે

   આવતીકાલે સવારે 8થી 10 રણજિત વિલાસ પેલેસ ખાતે અંતિમ દર્શન બાદ તેઓની અંતિમયાત્રા નીકળશે મનોહરસિંહજી જાડેજાનું નિધન  થતા રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં ઘેર શોકનું મોજું ફેલાયું છે

  રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી અને કોંગ્રેસના પીઢ નેતા મનોહરસિંહજી જાડેજા (દાદા)ની હાલત આજે સવારથી અત્યંત ગંભીર બની હતી વાત વાયુવેગે પ્રસરતા લોકોમાં ઘેરી ચિંતાનું મોજું ફેલાયું હતું દાદાની તબિયત નાજુક થતા તબીબો અને પરિવારજનો સતત ખડેપગે રહ્યાં હતા

(12:00 am IST)